News Detail

Posted By : Admin    |   Pediatric Nephrologist
તમારા સ્વાસ્થ્ય માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ ક્યારે જરૂરી ?

કિડની ટ્રાન્સપ્લાન્ટ એ એવી સર્જિકલ પ્રક્રિયા છે જેમાં ફેઈલ થઈ ગયેલી કિડનીને દૂર કરીને તેની જગ્યાએ સ્વસ્થ (સજીવ કે મૃતદાતા પાસેથી મળેલી) કિડની દાનમાં લઇને લગાડવામાં આવે છે.

ક્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવો જોઈએ?


જ્યારે દર્દી ક્રોનિક કિડની ડિસીઝ (CKD) નું છેલ્લું તબક્કું (સ્ટેજ 5) પર હોય.

જ્યારે કિડની 85-90% કામ કરવાનું બંધ કરી દે.

ડાયાલિસિસ લાંબા સમયથી ચાલી રહ્યું હોય.

કિડની કોણ આપી શકે?


1. જીવિત દાતા (Living Donor):

પરિવારજનો જેમ કે માતા, પિતા, ભાઈ-બહેન.

AB0 બ્લડ ગ્રુપ મેળ ખાતું હોય તો વધુ સારું.

કેટલીકવાર HLA match પણ જોવામાં આવે છે.

2. મૃત દાતા (Deceased Donor):

મૃત્યુ પામેલા વ્યક્તિની પૂર્વ મંજૂરીથી લેવાયેલી કિડની.

ગુજરાતમાં હવે આવી દાન વ્યવસ્થા (cadaveric transplant) વધુ સારી રીતે વિકસતી થઈ રહી છે.

ટ્રાન્સપ્લાન્ટ પછી શું ધ્યાન રાખવું?

ઈમ્યુન સપ્રેસન્ટ દવાઓ દિવસમાં નિયમિત લેવી પડે છે – આખી જિંદગી.

સ્વચ્છતા રાખવી, કારણ કે રોગપ્રતિકારક શક્તિ ઓછી રહે છે.

નિયમિત બ્લડ ટેસ્ટ અને ફોલોઅપ જરૂરી છે.

કોઈપણ ચેપ (infection), તાવ, શરદી, પેશાબમાં દુઃખાવો થાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો.

પ્રોટીન, પોટેશિયમ, સોડિયમ વગેરે ખોરાકમાં નિયંત્રણ રાખવો.